આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિત કુલ 7 રાજ્યસભા સાંસદોએ ભાજપમાં વિલયનો નિર્ણય લીધો છે.
આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિત કુલ 7 રાજ્યસભા સાંસદોએ ભાજપમાં વિલયનો નિર્ણય લીધો છે. રાઘવ ચઢ્ઢાએ પોતાને ખોટી પાર્ટીમાં સાચો માણસ ગણાવતા કહ્યું કે AAP હવે તેના મૂળભૂત આદર્શોથી ભટકી ગઈ છે. આ બળવા પાછળ દિલ્હી ચૂંટણીમાં હાર અને સંદીપ પાઠકને હાંસિયામાં ધકેલવા જેવા કારણો જવાબદાર હોવાનું મનાય છે.
રાઘવ ચઢ્ઢાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને અત્યંત ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે જે પાર્ટીને તેમણે પોતાના લોહી-પરસેવાથી સીંચી હતી અને પોતાની જવાનીના 15 વર્ષ આપ્યા હતા, તે હવે ભ્રષ્ટાચાર મુક્ત ભારતના એજન્ડાથી ભટકીને માત્ર અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. ચઢ્ઢાએ ટિપ્પણી કરી હતી કે તેઓ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં ગૂંગળામણ અનુભવતા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ હાજર રહ્યા હતા, જેમણે ભાજપમાં જોડાવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.
સૌથી મહત્વની બાબત એ છે કે રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો છે કે રાજ્યસભામાં AAP ના 2/3 થી વધુ સાંસદોએ વિલયના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી દીધા છે. આ યાદીમાં હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની અને અશોક મિત્તલ જેવા મોટા નામો સામેલ છે. બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીને આ સાંસદો હવે ભાજપમાં ભળી જશે, જેના કારણે તેમની સદસ્યતા પર કોઈ આંચ આવશે નહીં. રાજ્યસભામાં AAP પાસે કુલ ૧૦ સાંસદો હતા, જેમાંથી હવે માત્ર ૩ જ બચ્યા છે, જેમાં સંજય સિંહ, એનડી ગુપ્તા અને બલબીર સિંહ સિચ્ચેવાલનો સમાવેશ થાય છે.
આ બળવા પાછળના કારણો પર નજર કરીએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષની હાર એક મોટું પરિબળ સાબિત થયું છે. ચૂંટણીમાં નિષ્ફળતા બાદ પાર્ટીની અંદર આંતરિક વિખવાદ વધી ગયો હતો. ખાસ કરીને રણનીતિકાર ગણાતા સંદીપ પાઠકને મુખ્ય ભૂમિકાઓમાંથી દૂર કરીને માત્ર છત્તીસગઢના પ્રભારી બનાવી દેવાયા હતા, જ્યારે અન્ય નેતાઓને મહત્વના રાજ્યો સોંપાયા હતા. આ ભેદભાવ અને અવગણનાને કારણે પાર્ટીના ટોચના નેતૃત્વમાં બે ભાગલા પડી ગયા હતા, જેનું પરિણામ આજે આ મોટા ભંગાણ સ્વરૂપે જોવા મળી રહ્યું છે.
આ મોટી તૂટથી અરવિંદ કેજરીવાલના રાષ્ટ્રીય રાજકારણના સપનાને મોટો ફટકો પડ્યો છે. સંસદમાં પાર્ટી નબળી પડી છે અને તેની સાંગઠનિક એકતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. રાઘવ ચઢ્ઢાનું ભાજપમાં જવું એ દિલ્હી અને પંજાબ બંને રાજ્યોમાં AAP માટે આગામી સમયમાં મોટી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ભાજપે આ વિલય દ્વારા વિરોધ પક્ષને મોટો ઝટકો આપ્યો છે અને રાજ્યસભામાં પોતાનું સંખ્યાબળ મજબૂત કર્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Major Setback For AAP Raghav Chadha Joins Bjp With 7 Rajya Sabha MP's Cites Deviation From Party Core Values
